રાજસ્થાન રાજયના ભિનમાલમાં ચેક રીટર્ન કેસનો આરોપી છેલ્લા 13 વર્ષથી નાસતો-ફરતો હતો.જેને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડની ટીમે જબુંસર બાયપાસ ખાતે આવેલા તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો હતો.જેને વધુ તપાસ માટે બી ડીવીઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.ભરૂચ એસપી મયુર ચાવડાએ અન્ય રાજ્યોમાંથી અને જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા […]
ભરૂચમાં 15 દિવસથી બંધ રહેલું સર્વર ફરીથી શરૂ થતાં આરટીઓમાં ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 15 દિવસથી સર્વર બંધ હોવાથી 150 કરતાં વધારે ડ્રાઇવ પડતર હોવાથી આરટીઓના કર્મચારીઓએ ગજબનો શોર્ટકટ શોધી નાંખ્યો હતો. ટેસ્ટ ડ્રાઇવના ટ્રેક પર એક ગાડીનો ટેસ્ટ પૂરો થાય તે બાદ બીજી ગાડીને પ્રવેશ […]
ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદમાં મંત્રીશ્રી કે.ડી.પટેલની પ્રેરણાથી ચાલતા સિનિયર સિટીઝન ફોરમ,આણંદ ખાતે ડી.એન.હાઇસ્કૂલ કેમ્પસના પ્રાર્થના મંદિર હોલમાં માસના અંતે મળતી સામાન્ય સભામાં ‘ગુજરાતી ગીત ગુંજન’નો કાર્યક્રમ યોજાઈ ગયો. જી.એન.ભાવસાર દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના બાદ પ્રમુખશ્રી મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી કરાઓકે ક્લબ બાકરોલના ગાયક કલાકારોનો પરિચય આપી સન્માન કર્યું હતું. અમેરિકા […]
જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને […]
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિગ પાસે ચેકિંગ કરતી હતી તે સમયે જીજે-21 ટી-9831 નામની ફોર્સ ટ્રાવેર્લ્સને રોકી તપાસ કરવામાં આવી હતી. ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતાં આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ […]
ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે 57 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને 20 થી 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય મળી રહે તે માટે […]
ભરૂચ જિલ્લામાં સ્પાની આડમાં શ્રવણ ચોકડી પાસે આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં વિદેશી યુવતીઓ મારફતે ચાલતા દેહ વ્યાપારમાં ચાર વિદેશી યુવતીઓને મુક્ત કરાવી બે ઈસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ મસાજ સેન્ટરના નામે બહારથી વિદેશી યુવતીઓ બોલાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતા હોય છે. જોવા […]
ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષી આચારસંહિતા લાગુ પડી ચૂકી છે ત્યારે તેની સૌથી વધારે અસર સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. નગરપાલિકા, કલેકટર, મામલતદાર સહિતની કચેરીઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ અરજદારો અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નગરપાલિકા કચેરીએ જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતાં લોકોની […]
સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગ કારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે.જેથી ભાડભૂત […]
‘૨૭ માર્ચ-વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે નડિયાદની ૮૪ વર્ષ જુની-જાણીતી નાટય સંસ્થા “નડિયાદ કલામંદિર’ ખાતે ‘ગુજરાત દર્પણ’-અમેરિકા, મોરલીધર પ્રેસ પ્રા.લિ.નડીઆદ ના સંયુકત ઉપક્રમે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદના માનદ્ નિયામકશ્રી ડૉ. આર.પી.પટેલ, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી નૃપેશ બી. […]