ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં કોરોનાનાં બીજા તબક્કામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ દર્દીઓનાં એક્ટિવ કેસો ૨૦૦ નાં આંકડા નજીક પહોંચી રહ્યા છે, જિલ્લામાં રોજના ૧૦ થી વધુ કેસોએ જ્યાં […]
Month: March 2021
ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આજે આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં ફરવા લાયક સ્થળો બંધ હોવાથી ટ્રાવેલ્સનાં વ્યવસાયને ફટકો પડ્યો છે, બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ટેક્સ ભરવામાં પણ મુશ્કેલીઓ […]
ધૂળેટી મનાવવા માટે યુવાન મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા પડ્યો, એકાએક નદીના વહેણમાં યુવક તણાઇ ગયો ભરૂચ જિલ્લા માટે ધૂળેટી પર્વનો સમગ્ર દિવસ શાંતિમય અને હર્ષોલ્લાસ સાથે રહ્યા બાદ સાંજનો સમય ગોઝારો સાબિત થયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે નર્મદા નદી કિનારે ડૂબી જવાથી એક યુવાનનું મોત નિપજતાં ગમગીનીનો […]
ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલું કબીરવડ કોરોનાના કારણે ભેંકાર ભાસ્યું, એક સાથે ત્રણ રજા હોવા છતાં પ્રવાસીઓની સંખ્યા નહિવત ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલાં પ્રવાસન સ્થળ કબીરવડ તેના અસ્તિત્વ સામે જંગ લડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે ધુળેટીના પર્વએ ધમધમતું કબીરવડ ચાલુ વર્ષ કોરોના વાયરસના સંક્રમણના કારણે […]
એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી :- એક જાગૃત નાગરિક આરોપી :- જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયા, અ.હે.કો., વર્ગ-૩, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર, વડોદરા. લાંચની માંગણીની રકમ :- રૂા.૨૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨૦,૦૦૦/- લાંચની રીકવર રકમ :- રૂા.૨૦,૦૦૦/- ટ્રેપની તારીખ :- તા.૨૯.૦૩.ર૦૨૧ સ્થળ:- મોજે-સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની […]
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ ધૈર્યરાજસિંહની બિમારીની સારવાર માટે ૫૧ હજાર રૂપિયાની કરી મદદ…… મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજસિંહને એસ.એમ.એ.1 નામની બિમારી છે. આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે જેથી બાળક ઉભું થઈ શકતું […]
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે માઠા સમાચાર, વાઈરસે સ્વરૂપ બદલ્યુ હોવાની આશંકા ગાંધીનગર: ગુજરાતમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે રવિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 2,270 નવા કેસ સામે આવ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ […]
કેરવાડા ગામે દાંડી યાત્રાને લઈ અનોખી પરંપરાગ ચાલી રહી છે. વર્ષ 1930માં જ્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડીકૂચ આવી પહોંચી ત્યારે કેરવાડાના રહેવાસીઓએ પૂ.બાપુને પાંચસૌ એક રૂપિયાની થેલી અર્પણ કરી હતી.મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને પાંચસૌ એક રૂપિયાની થેલી એનાયત કરીગાંધીજી પ્રત્યે એવા અહોભાવથી આ રકમ અર્પણ […]
ભરૂચ જીલ્લામાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે ડ્રાઈવ ચલાવી હતી જેમાં સ્ટેશન રોડ પાસેથી ઠાકોર રેસ્ટોરન્ટ પાછળની ગલીમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે.આ બનાવની મળતી માહિતી અનુસાર ગુજરાત રાજય ગાંધીનગર મુખ્ય પોલીસ અધિક્ષક દ્વારા તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેન્જ […]
નર્મદા રાજપીપળા નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે મોવી ખાતેથી પસાર થતી કરજણ ડેમથી વાડી સુધીની પાણીના પાઈપ લાઈનની રોડ ક્રોસીંગ વાળી જગ્યાએથી ચંદુભાઈ જીવરાજભાઈ પનાળીયા( રહે.ઝોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગર )પાસેથી ગેરકાયદેસરનો વિસ્ફોટક મુદ્દામાલ […]