શુકલતીર્થમાં કેનાલોમાં પુરાણ કરાતાં રોષ

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નર્મદા નદીમાં ચાલતાં ગેરકાયદે ખનન બાદ હવે રેતી માફિયાઓએ કેનાલોમાં પુરાણ કરી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. શુકલતીર્થના બેડ વિસ્તારમાં કેનાલોમાં પુરાણ કરી વાહનોથી ગેરકાયદેસર રેતીનો સ્ટોક કરાતો હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.શુક્લતીર્થ ગામે કેટલાક સમયથી ખેતરોમાં રેતીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે તેનાથી આજુબાજુના ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ બાબત એ છે કે જે નર્મદા કેનાલો માટે ખેડૂતોની કીમતી જમીનો સંપાદિત કરીને તેમને જે તે સમયે વળતર ચૂકવી નર્મદાના સિંચાઇ માટે પાણી મળી રહે તેવા આશયથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી પરંતુ શુક્લતીર્થ પંથકમાં આજે પણ જ્યારથી કેનાલો બની ત્યારથી એક ટીપુય પાણી કેનાલ મારફતે સિંચાઇ માટે મળ્યું નથી.હવે કેનાલોનો દુરુપયોગ કરી રેતી માફીયાઓ કેનાલમાં માટી પુરાણ કરી ખેતરમાં રેતીનો સ્ટોક કરવા રસ્તો બનાવી ઉપયોગ કરી રહ્યા છે. કેનાલોના સમારકામ તો ઠીક પરંતુ તેનું પુરાણ કરી જાહેર માર્ગ બનાવી વાહનોની અવ-જવર કરવાની પરમિશન ક્યાં અમલદારે આપી તે એક સવાલ ખેડૂતોમાં ચર્ચાનો વિષય છે. ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટીના ગામોમાં ચાલતી ગેરકાયદે રેતીખનન પર કાર્યવાહી કરતાં અધિકારીઓને કદાચ આ રેતીના ઢગલાઓ દેખાતા નહિ હોય તેમ લાગી રહયું છે. શુકલતીર્થ, ઝનોર, અંગારેશ્વર સહિતના ગામોમાં રેતીની લીઝોમાંથી ગેરકાયદે ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં તંત્ર પણ એકશનમાં આવ્યું છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં 55 દિવસમાં વ્યાજખોરો સામે 282 અરજી, 189નો નિકાલ, 93 પેન્ડિંગ

Sun Feb 26 , 2023
વ્યાજખોરી સામે પોલીસ ઝૂંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લાભરમાં પોલીસને 282 જેટલી અરજીઓ મળી છે. જે પૈકીની 189 અરજીઓનો નિકાલ કર્યો છે. જેમાં 12 ગુનાઓ પણ નોંધવામાં આવ્યાં છે. જ્યારે હજી 93 અરજીઓ પેન્ડિંગ છે.રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ […]

You May Like

Breaking News