વટારીયા સુગરના સભાસદોનો આક્રોશ, 3,000થી ઓછો ભાવ નહિ જ લઇએ

ભરૂચની વટારીયા સુગરે રાજયની 12 ફેકટરીઓમાંથી સૌથી ઓછા શેરડીના ભાવ આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે. આજે ફરી ખેડૂતો આવ્યા ત્યારે પણ નહિ હોવાથી ખેડૂત સભાસદોનો ગુસ્સો આસમાને પોહચી ગયો હતો.હવે સભાસદોએ આ કસ્ટોડિયન કમિટીના રાજીનામાની માંગ કરી ચૂંટણી લાવવા માગ કરી હતી.સભાસદોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 66 હજાર ખાંડના દાગીના ઓછા બન્યા છે જેથી 3 હજાર લેખે તેમાં 19.80 કરોડની ખોટ થઈ ગઈ છે. કસ્ટોડિયન કમીટીએ ગામેગામ ફરીને પારદર્શક વહીવટનાં બણગાં ફૂંકતી હતી.હાર્વેસ્ટર, મજૂરો, બળદગાડા વગેરે પૂરતા પ્રમાણમાં હોવા છતાં કસ્ટોડિયન અધિકારીના વહીવટ કરતા આ કસ્ટડીયન કમિટીએ 13 હજાર ટન શેરડીનું પિલાણ કરેલ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંક્લેશ્વરના 2 સરકારી કર્મીઓના 24 કલાકમાં જ હૃદય રોગના હુમલાથી મોત

Wed Apr 3 , 2024
ભરૂચમાં કલેક્ટર કચેરીમાં તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં બે કર્મીઓના હૃદય રોગના હુમલાથી મોત થવાની ઘટના બાદ છેલ્લા એક સપ્તાહમાં અંકલેશ્વરમાં ત્રણ યુવાનના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હતાં. ગત રોજ અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે આઉટ સોર્સિંગમાં ચૂંટણી વિભાગમાં ઓપરેટર તરીકે કામ કરતા 35 વર્ષીય ઇમરાન દીવાન પોતાની ફરજ પુરી […]

You May Like

Breaking News