ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો

Screenshot

ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.

આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી. તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે.

પત્રકાર એકતા પરિષદે જણાવ્યું કે તેમનું સંગઠન 10,000 પત્રકારોનું શિસ્તબદ્ધ મંડળ છે. તેમાં તાલુકા, જિલ્લા, ઝોન, પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વિંગનો સમાવેશ થાય છે. સંગઠન કાર્ડ ધારકો કે તોડફોડિયા પત્રકારોને સભ્યપદ આપતું નથી.

ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મંત્રીને પત્રકારોની ઈજ્જત સાથે ચેડાં કરવાનો અધિકાર નથી.

પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે. આવેદનપત્રમાં પત્રકારોની વેદના અને પીડા રજૂ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કરજણ ફાયર વિભાગ દ્રારા નેશનલ ફાયર સર્વિસ દિવસ અંતર્ગત કાર્યક્મ યોજવામાં આવ્યો….

Tue Apr 15 , 2025
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… કરજણ…

You May Like

Breaking News