ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વેળા માટી ધસી પડતાં 2 શ્રમજીવીઓ દટાયા

ભરૂચ શહેરમાં છેલ્લાં કેટલાંય વર્ષ ઉપરાંતથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. જોકે, હવે ચોમાસુ માથે છે ત્યારે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા શહેરના બાકી કામોને વહેલી તકે પુર્ણ કરવાની કવાયત હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ભરૂચના કુકરવાડા જવાના રોડ પર ગેલાની તળાવ પાસે પાઇપ લાઇન નાંખવા માટે ખોદકામ કરાઇ રહ્યું હતું.બે શ્રમજીવીઓ માટી બહાર ઉલેચી ઢગલો કર્યો હતો. અરસામાં તે માટી તેમના પર જ ધસડી પડતાં સુરેશ વસાવા અને પવન વસાવા નામના બે શ્રમિકો તેની નીચે દટાઇ ગયાં હતાં. ઘટનાને પગલે તુરંત ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગને તેમજ 108ને જાણ કરવામાં આવતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં.બન્નેને ભારે જહેમત બાદ બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સુધારા પર હોવાનું માલુમ પડ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ)ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ

Tue Jun 21 , 2022
****ભરૂચ મામલતદાર સુશ્રી રોશની પટેલના અધ્યક્ષપદે મંગલેશ્વરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ*** * ભરૂચ: મંગળવાર: વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮માં સંસ્કરણમાં ‘માનવતા માટે યોગ’ની થીમ પર આયોજિત કરાયો હતો.જે અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ […]

You May Like

Breaking News