ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ, 21 વિદ્યાર્થીઓના A-1 ગ્રેડ, 963 નાપાસ

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી 5964 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાના 5061 છાત્રો પાસ થતા પરિણામ 84.52 ટકા રહ્યું છે.ભરૂચ જિલ્લામાં A-1 ગ્રેડમાં 21, A-2માં 278 અને B-1માં 970 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. કેન્દ્રવાર જોઈએ તો અંકલેશ્વરનું 85.48 ટકા, ભરૂચ 80.84, ઝાડેશ્વર 82.84, જંબુસર 82.78, હાંસોટ 82.17, વાલિયા 75.99, આમોદ 90.95, દયાદરા 85.96 અને થવા કેન્દ્રનું 93.90 ટકા પરિણામ નોંધાયું છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરમાં ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત : 4 ઘાયલ

Sat Jun 4 , 2022
અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ટ્રેલર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સજર્યો હતો. ઓએનજીસી ઓવર બ્રિજના ધાર પાસે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ઓએનજીસી ઓવરબ્રિજ પાસે ગત રાત્રી ના ટર્નીંગ પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રી ના બ્રિજ ના છેડા પાસે આવી રહેલ ટ્રેલર સાથે સ્કોર્પિયો […]

You May Like

Breaking News