અંકલેશ્વરની ગડખોલ પાટિયા ફાટક નજીક આવેલી ઝૂપડપટ્ટીનું દબાણ હટાવાયુ, સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો…

અંકલેશ્વરની ગડખોલ પાટિયા ફાટક નજીક આવેલી ઝૂપડપટ્ટીનું દબાણ હટાવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની ગડખોલ પાટિયા ફાટક નજીક આવેલી ઝૂપડપટ્ટીમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને રેલવે તંત્ર દ્વારા દબાણો દૂર કરવા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી અને ગત 12મી સપ્ટેમ્બર સુધીમાં તમામ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.નોટિસ બાદ પણ દબાણો દૂર નહિ કરવામાં આવતા આજે બુધવારે રેલવે વિભાગ દ્વારા રેલવે પોલીસ અને અંકલેશ્વર શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. દબાણ હટાવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

તૂટેલી કમરનો ઈલાજ છે ભરૂચના ખાડા' રિક્ષા ચાલકે શહેરના ખાડા અને ગોલ્ડન બ્રિજનો અદભૂત વીડિયો બનાવ્યો...

Thu Sep 23 , 2021
‘ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો શહેરના રિક્ષા ચાલકે હાથમાં વાજા પેટી અને અલગારી સાધુનો વેશ ધરી 143 વર્ષ બાદ નર્મદા મૈયા બ્રિજ બની જતા સુમસામ ભાસતા બ્રિજનો ચલ અકેલા.. મોજ ઉપર બનાવેલો વીડિયો ભારે વાયરલ થઈ ધૂમ મચાવી રહ્યો છે.ડિજિટલ ગુજરાતમાં આજે દરેકના હાથમાં એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળશે અને તેમાંય ખાસ કરી […]

You May Like

Breaking News