SOU પાસે દરેક ધર્મની વિવિધતામાં એકતાને ઉજાગર કરતું રૂ. 59.54 લાખનું વિશ્વનું સૌથી મોંઘું કમળ ખીલશે…

SOU પાસે દરેક ધર્મની વિવિધતામાં એકતાને ઉજાગર કરતું રૂ. 59.54 લાખનું વિશ્વનું સૌથી મોંઘું કમળ ખીલશે

 

કેવડિયા SOU ગ્લો ગાર્ડનમાં ભારતના ધાર્મિક વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરતું 3D LED કમળની પ્રતિકૃતિ રૂ. 59.50 લાખના ખર્ચે સ્થાપાશે. જે માટેનું ટેન્ડર જારી કરી દેવાયું છે એજન્સીએ 3 વર્ષ જાળવણી અને નિભાવ કરવાનું રહેશે. વિશ્વનું સૌથી મોંઘું વિવિધ ધર્મોની વિવિધતામાં એકતાને રજૂ કરતા રાષ્ટ્રીય ફૂલ કમળ ખીલશે. SOU પરિસરમાં યુનિટી ગ્લો ગાર્ડમાં ટૂંક સમયમાં રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ તેમજ ભારતના “ધાર્મિક વિવિધતામાં એકતા”ને ઉજાગર કરતી કલા સ્થાપનાઓ પ્રકાશિત કરાશે. કમળના ક્લસ્ટરની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે.

જે LED લાઇટિંગ સાથે કોરિયન એક્રેલિક સામગ્રીથી બનાવાશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL) એ ₹59.50 લાખના ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડ્યા છે. સ્થાપનોને સંચાલિત કરવા અને જાળવવા 3 વર્ષના કરારનો સમાવેશ થાય છે.કમળના ફૂલોનું ક્લસ્ટર, જેને નેશનલ ફ્લાવર પેચ કહેવામાં આવે છે. જેમાં સેલ્ફ એલઇડી રોશની હશે.3 ડી ગ્લોઇંગ કમળની બાહ્ય સ્તરમાં ઓછામાં ઓછી 8 પાખડીઓ અને કેન્દ્રમાં એક ઝગમગતી કળી સાથે આંતરિક સ્તરમાં પાંચ પાખડીઓ હશે. દરેક ફૂલની ઉંચાઈ 5 ફુટ, લંબાઈ 6 ફૂટ અને પહોળાઈ 8 ઇંચ જેટલી હશે.

ધાર્મિક વિવિધતા પરના સ્થાપનોમાં, દરેક પાખડી પર શીખ, ઇસ્લામ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક પ્રતીકો સાથે કમળ આકારનું એક મોડેલ પણ છે. બીજી સ્થાપનામાં વિવિધ પૂજા સ્થળોના આર્કિટેક્ચરલ કટઆઉટ્સ હશે.ત્રીજું એક પેન્ટાગોન આકારનું માળખું હશે. જેમાં 5 શિરોબિંદુઓ પર 5 ધાર્મિક પ્રતીકો હશે. ચોથા ડિઝાઇનમાં એકતા શબ્દના મૂળાક્ષરો સાથેના 5 બ્લોક્સ અને દરેક બ્લોક પર એક ધાર્મિક પ્રતીકનો 1 કટ સમાવાયો છે. વડના વૃક્ષની પ્રતિકૃતિ પર પણ ધાર્મિક પ્રતીકો લગાવાશે.

તે માટેના ટેન્ડરો જૂનના મધ્યભાગમાં આખરી થઈ જશે. SSNL દ્વારા 4 જેટલી મૂળભૂત રચનાઓને મંજૂરી આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરોએ મંજૂરી માટે અંતિમ ડિઝાઇન રજૂ કરતા પહેલા નિરીક્ષણ અને આયોજન માટે સ્થળની મુલાકાત લેવી પડશે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

માત્ર 5થી 15 રૂપિયામાં જ સારવાર આપતું રાની પ્રદેશના નામથી ઓળખ ધરાવતું દવાખાનું 90 વર્ષથી અડીખમ...

Wed Jun 2 , 2021
માત્ર 5થી 15 રૂપિયામાં જ સારવાર આપતું રાની પ્રદેશના નામથી ઓળખ ધરાવતું દવાખાનું 90 વર્ષથી અડીખમ   કસ્તુરબા સેવાશ્રમ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલના 1928ના બારડોલી સત્યાગ્રહ સાથે જોડાયેલી છે.સત્યાગ્રહ દરમ્યાન અંગ્રેજોના ત્રાસ અને જુલમથી બચવા રાજપીપળા સ્ટેટના ચાસવડ ખાતે લોકો સ્થળાંતર થયા હતા. આ લોકોમાંથી આદિવાસી વિસ્તારમાં મીઠુબેન પીટીટ અને […]

You May Like

Breaking News