ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી..

રાજસ્થાનનાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે ફાતેહા તેમજ દુરુદ શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો.ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી. દરગાહ શરીફ ખાતે ભોજનની પણ વ્યવસ્થા સંચાલકો દ્વારા કરાઇ હતી. છઠ્ઠી શરીફની ઉજવણીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો જોડાયા હતા. ખૂબ જ ઉલ્લાસભેર હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હાંસોટમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરેથી દેશીદારૂનો જથ્થો ઝડપાયોહાંસોટ કોંગ્રેસ ઉમેદવારના ધરે થી દેશીદારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે...

Fri Feb 19 , 2021
પતિ પત્ની બને કોંગ્રેસના અલગ અલગ બેઠક ના ઉમેદવાર છે. પોલીસ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો હતો. કંટીયાજાળ બેઠક પર પતિ વિજય વસાવા અને કાંટા સાયણ બેઠક પર પત્ની હિરલ વસાવા ઉમેદવાર છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે હાંસોટ તાલુકા પંચાયતની કાંટા સાયણ બેઠક નંબર 6 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવનાર હિરલ બેન […]

You May Like

Breaking News