સુરત: માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું, પશુપાલકો અને ખેડૂતોમાં ભય

સુરત જિલ્લામાં દીપડાના આંટાફેરા યથાવત છે. સુરત જિલ્લામાં માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેને લઇને સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો હાલ ભયમાં મુકાઈ ગયા છે. લેવટ ગામમાં પાંજરૂ મૂકવા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.

લવેટ ગામના સરપંચ મનોજભાઈ જેઠાભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ઘર નજીક બનાવેલા તબેલામાં 50 જેટલી ભેંસો અને 50 ગાય તેમજ 30 જેટલા નાના વાછરડા પાળ્યા છે. રાત્રિ સમય દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાએ એક ત્રણ મહિનાના વાછરડાનું મારણ કર્યું હતું. આ બનાવ અંગે તેમણે વાંકલ વન વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી અને જણાવ્યું કે, તબેલામાં રાખવામાં આવેલા નાના મોટા પશુઓના જીવનું જોખમ હોવાથી તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવે. તેમજ થયેલા નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ખેડા: અંગાડી ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની હર્શૌલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી

Sat Jan 27 , 2024
ખેડા જિલ્લાના ગામ અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારત દેશના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે કોમીએખલાસ. શાંતિ અને ભાઈ ચારાના શાંતિપૂર્ણ વાતાવરણમાં સરકારશ્રીના બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ગામમાં શ્રેષ્ઠ ભણેલી દીકરી કુમારી દીપિકાબેન મકવાણા ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં […]

You May Like

Breaking News