વાલિયાના જોલી – મેરા ગામના માર્ગોનું સમારકામ આખરે શરૂ

વાલિયા તાલુકાના જોલી અને મેરા ગામને અડીને સુરત જિલ્લો આવેલો છે. વાલિયાથી મેરા થઈ માંગરોળ મોસાલી અને છેક સુરત સુધી જવાનો રસ્તો આવેલો છે. પરંતુ વાલિયાથી મેરા સુધીનો રસ્તો સાવ ખાડા યુક્ત બની ગયો હતો. આ આ રસ્તાની ગ્રામજનોએ લેખિત તેમજ મૌખિક ઘણી રજૂઆતો બેદરકાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તેમજ રાજ્ય તંત્રી અને મંત્રીઓને કરી હતી.પરંતુ આજ દિન સુધી તેની મરામત કરવામાં આવી નહીં હોય જેને લઇ લોકોમાં ઘણો આક્રોશ જોવા મળતો હતો. પરંતુ ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવાએ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે જોલી અને મેરા ગામના રસ્તાની માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક રીપેર કરાવતા આ વિસ્તારના રહીશોએ તેમની કામગીરીને બિરદાવી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કલેક્ટરને આવેદન આપ્યું:સેઝના વિકાસ કામોના પ્રોજેક્ટની લોક સુનવણી અંભેલ ગામમાં કરો

Thu Jul 20 , 2023
દહેજ સેઝ લીમીટેડ દ્વારા આગામી 26 જુલાઈના રોજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સેઝના વિકાસ માટેની પરિયોજના પ્રોજેકટ કેટેગરીની લોક સુનવણીનું આયોજન કરાયું છે. ત્યારે વાગરા તાલુકામાં આવેલા પખાજણ,અંભેલ અને લીમડી ગામના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને લોક સુનાવણી અંભેલ ગામમાં રાખવાની માગ કરાઇ છે. જો આમ નહિ કરાય તો ગ્રામજનોએ વિરોધ […]

You May Like

Breaking News