ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા, સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી

ભરૂચના વોર્ડ નંબર 10માં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી ગાંધીગીરી અપનાવી હતી.

ભરૂચનાં વોર્ડ નંબર 10 માં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો આવ્યા ન હતા. જેના કારણે અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. જેના કારણે સ્થાનીકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક રહીશોએ ગાંધીગીર અપનાવી હતી અને જાતે જ ઝાડું હાથમાં લઇ આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી હતી.એક તરફ નગરપાલિકા સમગ્ર ભરૂચના વીસ્તારને સ્વચ્છ બનાવવા માટેના નેમ ધારણ કરીને બેઠું છે ત્યારે વરવી વાસ્તવિકતા કઇક અલગ જ બયાન કરે છે. સ્થાનિકો દ્વારા રોજેરોજ સફાઈ કામદારો આવે તેવી માંગ કરવામાં આવી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કેવડિયામાં 400 દિવસથી બંધ થયેલું સી-પ્લેનનું ફરી એકવાર ટેકઓફ થશે

Sat May 14 , 2022
અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 400 દિવસથી ઠપ્પ છે. ત્યારે ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ વધુ એકવાર જણાવ્યું છે કે સેવા ટૂક સમયમાં શરૂ થશે, વર્કઓડર થઈ ગયો છે. ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ગયું છે અને પ્રવાસીઅો સી પ્લેનમાં ફરવાની મઝા માણવા આતુર છે ત્યારે આ સી-પ્લેન વહેલી શરૂ કરાય […]

You May Like

Breaking News