ભરૂચ : ખનીજ માફીયાઓ ભરૂચ જિલ્લામાં બની રહ્યા છે બેફામ, ખાણ ખનીજ, આર.ટી.ઓ તેમજ પોલીસના છૂપા આશીર્વાદ?

ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ખનીજ માફીયાઓ અવાર નવાર નવા નવા કેમિયાઓ અપનાવી માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે દહેજનો ઔદ્યોગિક વિકાસ થતા ઘણા દુષણો અને ગેરકાયદેસર ધંધાઓનો પણ બેફામ વિકાસ થયો છે. ભરૂચ થી દહેજ માર્ગ ઉપર રાત્રીના સમયે બેફામ રીતે ઓવર લોર્ડ હાઇવા ભરી ના તો વજન કાંટાની પાવતી હોઈ છે ના તો હાઇવા ના કોઈ પણ પેપરો હોઈ છે વાગરા તાલુકામાં બેફામ રીતે ખનીજ માફીયાઓ માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની અનેકો રજુઆત કરવામાં આવે છે છતાં જાડી ચામડીના અધિકારીઓ કાર્યવાહી કરવાનું નામ નથી લઈ રહ્યા જેના ઉપર થી લોક ચર્ચા ચાલી રહી છે કે માટી ચોરો અને અધિકારી વચ્ચે સેટિંગ દોટ કોમ ચાલી રહ્યું છે.

દહેજ પંથકમાં માટી ભરી હાઇવા ચાલકો રોંગ સાઈડમાં હંકારે છે જેનાથી અનેકો અકસ્માત પણ સર્જાઈ છે અને અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે હાલતો ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ રીતે માટી ભરી બેફામ રીતે હાઇવા હંકારી નિયમો નેવે મૂકી પ્રજા અને સરકાર બંનેનું નુકશાન કરી રહ્યા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

દહેજ પંથકમાં ખનીજ માફીયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગ, આર.ટી.ઓ તેમજ સ્થાનિક પોલીસ કાયદાનું ભાન કરાવશે કે પછી આવ ભાઈ આપણે સરખા આપણે બેવ સરખા જેવી સ્થિતિનું નિર્માણ થાઈ છે એ જોવું રહ્યું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિના પૂર્વ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો

Sun May 8 , 2022
ભરૂચમાં મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ડૉ. કિરણ પટેલ મેડિકલ કોલેજના ઉપક્રમે મહારાણા પ્રતાપની જન્મ જયંતિના પૂર્વ દિવસે રક્તદાન મહાદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમિતિના પ્રમુખ વિરપાલસિંહ અટોદરિયા, અન્ય આગેવાનો અને હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. સોમવારે મહારાણા પ્રતાપની 492મી […]

You May Like

Breaking News