આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

ભરૂચ જિલ્લાના ખેડૂતો જોગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

0 0 0 0 0 0 0

ભરૂચ:સોમવાર:- રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે એમ નાયબ ખેતી નિયામક ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાત બન્યું ઘુષણખોરીનું હબ.?

Mon May 2 , 2022
• બાંગ્લાદેશી અને અન્ય દેશો માથી ગુજરમાં ઘુષણખોરી • ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરવા આદેશ પરે એવી માંગ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બાંગ્લાદેશી લોકો ઘુષણખોરી કરી વસવાટ કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે જેમાં બાંગ્લાદેશ તેમજ અન્ય દેશો માથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુષણખોરી કરી વસવાટ કરે છે અને ગુજરાતમાં […]

You May Like

Breaking News