ભરૂચમાં 65 કરોડના ખર્ચે બુલેટ ટ્રેનના સ્ટેશન ઉપરાંત 100 વર્ષ જૂના રેલવે સ્ટેશનનો પણ 34 કરોડના ખર્ચે વિકાસ કરાશે

બ્રિટિશ રાજના બ્રોચથી ભરૂચ રેલવે સ્ટેશનની 100 વર્ષ જુની ઐતિહાસિક સફર અમૃત રેલવે સ્ટેશન હેઠળ ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઈ રહી છે.ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935 માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 88 વર્ષથી મુંબઈ-અમદાવાદ-દિલહી વચ્ચે કાર્યરત છે.આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 ઓગસ્ટે દેશના 500 થી વધુ સ્ટેશનોનો અમૃત સ્ટેશન યોજના હેઠળ રી-ડેવલોપમેન્ટનો શિલાન્યાસ કરવાના છે. જેમાં વડોદરા ડિવિઝનના ભરૂચ, કરજણ, વિશ્વામિત્રી સહિત 6 સ્ટેશનોનો સમાવેશ થાય છે.ભરૂચમાં દહેગામમાં ₹65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સુજનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે ત્યારે 100 વર્ષ બાદ ભરૂચનું ઐતિહાસિક સ્ટેશન ₹34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. બ્રિટિશ રાજમાં બ્રોચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે.સ્ટેશનની ઇસ્ટ અને વેસ્ટ બંને એન્ટ્રી ભવ્ય સાથે, એલિવેટર, એસકેલેટર, એસી વેઇટિંગ રૂમ, દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે જવા ફૂટ ઓવર બ્રિજ સહિતના અન્ય નવા આકર્ષણો નવા સ્ટેશનમાં આગામી સમયમાં જોવા મળશે.સ્ટેશનના રી-ડેવલોપમેન્ટને લઈ વડોદરા રેલવે ડિવિઝન મેનેજર જીતેન્દ્ર સિંહે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે બેઠક પણ યોજી હતી. તો ગુરૂવારે કલેક્ટર કાર્યાલય ખાતે કાર્યકમના આયોજન અંગે બેઠક પણ મળનાર છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

LCB પોલીસે 12 વર્ષથી વોન્ટેડ આરોપીને દબોચ્યો:અંકલેશ્વરના જીતાલી ગામમાંથી દારૂના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપાયો, પારડી પોલીસ મથકમાં આરોપી અંગે જાણ કરાઈ

Thu Aug 3 , 2023
ભરૂચ LCB પોલીસે વલસાડ પારડી પોલીસ મથકના ગુનામાં છેલ્લા 12 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે. જેને અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપી વકસાડ પોલીસને જાણ કરાઈ છે.ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા એસપી મયુર ચાવડાએ વોન્ટેડ, નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓ ને ઝડપી પાડવા તમામ અધિકારીઓને આદેશ આપ્યા […]

You May Like

Breaking News