ઈલાવ ગામે ખેતર જવાનો રસ્તો બંધ કરી દેવાતાં ખેડૂતની તંત્રને ફરિયાદ…

હાંસોટના ઇલાવ ગામમાં રહેતા ધનેશ અંબાલાલ પટેલે મામલતદારને આપેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનું ખેતર સુણેવ ખુર્દ ગામના સર્વે નંબર 797 અને 798માં આવેલું છે. તેમના ખેતરમાં જવાનો રસ્તો સાહોલ ગામના સર્વે નંબર 50 માંથી પસાર થાય છે. તેઓ વર્ષોથી ખેતરમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે પણ છેલ્લા એક સપ્તાહથી ઈશ્વર પટેલ નામના ખેડૂતે આ રસ્તો બંધ કરી દીધો છે તથા સિંચાઇના પાણી માટે બનાવેલી ફીલ્ડ ચેનલ પણ પુરી દેવામાં આવી છે.તેમના ખેતરમાં જવાના રસ્તા પર વર્ષો જુના વૃક્ષોનું છેદન કરી આડાશ મુકી દેવામાં આવી હોવાથી તેઓ એક સપ્તાહથી ખેતરમાં જઈ શકતા નથી. તેમના ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે પણ રસ્તો તથા ફીલ્ડ ચેનલ બંધ થઇ જતાં પાક સામે ખતરો ઉભો થયો છે. આ બાબતે મામલતદાર કચેરી તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અરજદાર ખેડુત ધનેશ પટેલે કરી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

તિલકવાડામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન..

Wed Nov 24 , 2021
મોંઘવારી વિરુદ્ધ તિલકવાડા તાલુકા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત તિલકવાડામાં પદયાત્રાનું આયોજન કરી પત્રિકાનું વિતરણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રભારી અરવિંદ દોરાવાળા, અને તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. મોંઘવારીના મુદ્દે હાલ દેશભરના લોકોમાં રોષ […]

You May Like

Breaking News