ભરૂચ જિલ્લામાં પસાર થઇ રહેલી દાંડીયાત્રા દરમ્યાનજિલ્લા આયુવેદ શાખાની સરાહનીય કામગીરી..

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

ભરૂચઃ શુક્રવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રા ૨૦મી માર્ચના રોજ ભરૂચ જિલ્લાના કારેલી ગામે આવી પહોંચી હતી. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની આયુવેદ શાખા ધ્વારા ભરૂચ જિલ્લામાં પસાર થનારી દાંડીયાત્રાના સ્થળો જેવા કે કનકપુરા, કારેલી, અણખી, આમોદ, સમની, સમની, દેરોલ, અંકલેશ્વર,અને માંગરોલ ખાતે તા.૨૦/૩/૨૦૨૧થી તા.૨૮/૩/૨૦૨૧ સુધી આયુવેદ અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ચૈતન્ય શાહને આયુવેદ/ હોમિયોપેથી કેમ્પનું આયોજન સોંપવામાં આવેલ છે તેઓએ એક મુલાકાતમાં જણાવેલ છે કે તા.૨૦/૩/૨૦૨૧ થી તા.૨૫/૦૩/૨૦૨૧ સુધીમાં આયુવેદના ૬૦૦, સંશયવટી -૨૦૦૦, હોમિયોપેથીના-૪૨૧,આર્સેનિકના-૨૦૦૦ અને ઉકાળાના -૨૭૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ત્રાલસા, ત્રાલસી અને ડેરોલ બસ સ્ટેન્ડે દાંડીયાત્રિકોનું ફૂલવર્ષા કરી સ્વાગત કરતાં ગ્રામજનો..

Fri Mar 26 , 2021
અસ્મિતા વિકાસ કેન્દ્ર- ત્રાલસાના ટ્રસ્ટીગણ ધ્વારા દાંડીયાત્રિકોનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ સમની થી દેરોલ સુધીની દાંડીયાત્રા દરમિયાન મહાત્મા ગાંધી અમર રહો,ભારત માતા કી જય,વંદે માતરમ જેવા નાદથી ગ્રામજનો દેશભકિતના રંગે રંગાયા ૦ ૦ ૦ ૦ […]

You May Like

Breaking News