જુની દિવી ગામે બંધ મકાનમાં રોકડ- સોનાના દાગીનાની ચોરી

અંકલેશ્વર તાલુકા ના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય મુજબ, અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયામાં રહેતા રંજનબેન નરેન્દ્રસિંહ રણા પોતાનું ઘર બંધ કરી કોસંબા ખાતે પૌત્ર સાથે વેકેશન ગાળવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ 61 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર તાલુકામાં ભારે પવનોથી આંબાવાડીમાં કેરીને વ્યાપક નુકસાન

Tue May 24 , 2022
અંકલેશ્વર પંથકમાં વાતાવરણ માં પલટો આવતા પુનઃ.ખેડૂતો માટે આફત ઉભી થઇ છે અચાનક પવન ફૂંકાતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વાવાઝોડા માં કેરીઓ ખરી પડતા આખી આંબાવાડી માં કેરીઓ વેરણ છેરણ થઈ જતાં ખેડૂતો ને વ્યાપક નુકસાન ની સાથે નજીવા ભાવે કેરો વેચવા મજબુર બન્યા છે.અંકલેશ્વર તાલુકામાં અસંખ્ય આંબાવાડીઓ […]

You May Like

Breaking News