‘માર્ગ નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે’:આમોદના પાંચ ગામને જોડતો માર્ગ બિસ્માર અને ખખડધજ, સમારકામની માંગ સાથે આવેદનપત્ર અપાયું, ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

Views: 15
0 0

Read Time:1 Minute, 42 Second

આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ,દેણવા, વલીપોર, હેતમપુરના પાંચ ગામોને અસર કરતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.જેના વિરોધમાં આજ રોજ પાંચ ગામના આગેવાનોએ આમોદ નાયબ મામલતદાર આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર,હેતમપુરના પાંચ ગામોના આગેવાનોએ આપેલા આવેદનપત્ર જણાવ્યું હતું.કે,આછોદથી લઈને દેણવા સુધી 10 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ ઉબડ ખાબડ અને ખખડધજ બનેતા આ રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે.આ પાંચ ગામના લોકોને દૈનિક અવર જવર માટે ઘણી જ તકલીફો વેઠવી પડે છે.આ બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ,પ્રસૂતા બહેનો વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવર જવરના કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જોકે આ બાબતે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહી મળતા તેમની ધીરજનો અંત આવતા પાંચ ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆતો કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન અંર્તગત કાર્યક્રમ યોજાયો

Fri Apr 26 , 2024
Spread the love             ******* મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી***** લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને […]
અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન અંર્તગત કાર્યક્રમ યોજાયો

You May Like

Breaking News

error: Content is protected !!