ભરૂચમાં કલેક્ટર કચેરીમાં તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં બે કર્મીઓના હૃદય રોગના હુમલાથી મોત થવાની ઘટના બાદ છેલ્લા એક સપ્તાહમાં અંકલેશ્વરમાં ત્રણ યુવાનના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હતાં. ગત રોજ અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે આઉટ સોર્સિંગમાં ચૂંટણી વિભાગમાં ઓપરેટર તરીકે કામ કરતા 35 વર્ષીય ઇમરાન દીવાન પોતાની ફરજ પુરી કરી ઘરે પહોંચ્યા હતા. દરમિયાન રાત્રીના સમયે હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ પરિવાર તેમજ પ્રાંત અધિકારી કચેરીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.બીજી ઘટના મા અંકલેશ્વર ઓવર બ્રિજ નજીક રહેતા 57 વર્ષીય અશોકભાઈ મહાજન જે અંકલેશ્વર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં હતાં. ગત રોજ તેઓ અંકલેશ્વરથી ડીસા એસટી બસ લઇને નિકળ્યાં હતાં. દરમિયાન અમદાવાદ પાસે પહોંચતા તેમને ચાલુ ફરજ પર જ હ્રદય રોગનો હૂમલો થતાં તેમણે બસ થોભાવી દીધી હતી. કંડક્ટર દ્વારા કંટ્રોલમાં જાણ કરી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતાં. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા નિગમના સ્ટાફમાં ભારે ગમગીની છવાઇ હતી.
Next Post
એક જ દિવસમાં 465 વાહનોને 1 લાખનો દંડ
Wed Apr 3 , 2024
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજી હતી. જેમાં પોલીસે 465 કેસ કરી કુલ 1.09 લાખનો દંડ વસુલ કર્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ડ્રાઇવ રાખવામાં […]

You May Like
-
4 years ago
ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડોના કૌભાંડ…
-
2 years ago
માતરિયા તળાવ નગરજનો માટે બનશે નવલું નજરાણું