ભરૂચના દરિયા કાંઠે આવેલા ગામોની સ્થિતિ કફોડી બની

ભરૂચના દરિયા કાંઠે આવેલા ગામોની સ્થિતિ કફોડી બની ભરૂચના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો. વાવાઝોડાની અસરને પગલે પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા નર્મદા નદીમાં પણ તેની અસર જોવા મળી હતી. નદી પણ ગાંડીતુર બની હોય તે રીતે પાણીનો ઓટ જોવા મળી રહ્યો છે. જેને કારણે મહેગામ ગામના ગ્રામજનો અને માછીમારોની મુશ્કેલીઓ વધી છે એક તરફ અમાસના સ્થાને બારસના દિવસે નર્મદામાં ભરતીના પાણી આવતા માછીમારો પોતાની બોટને લંગારવામાં પણ હાલાકી પડી રહી છે તો બીજી તરફ ગામ સુધી પાણી આવી જતા લોકોની મુશ્કેલી વધી છે..

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના વાલીયા ચોકડી ઉપર રાત્રિના સમયે આગ લાગતા દોડધામ; આગમાં પક્ષીઓ પણ ચપેટમાં આવતાં ઇજાગ્રસ્ત બન્યા

Sat Jun 17 , 2023
ઓચિંતા લાગેલી આગમાં બે કાર બળીને ખાખ:અંકલેશ્વરના વાલીયા ચોકડી ઉપર રાત્રિના સમયે આગ લાગતા દોડધામ; આગમાં પક્ષીઓ પણ ચપેટમાં આવતાં ઇજાગ્રસ્ત બન્યા અંકલેશ્વરના વાલીયા રોડ ઉપર આવેલા રવીરત્ન મોટર્સના સર્વિસ સેન્ટરમાં ગતરોજ રાત્રીના આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે કર્મચારીઓમાં અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની […]

You May Like

Breaking News