અંકલેશ્વરમાં ડ્રાઇવરની બેદરકારીથી આમલાખાડી અંડરબ્રિજમાં ટ્રેલર ફસાયું

અંકલેશ્વરમાં નાના વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલાં આમલાખાડી અંડરબ્રિજમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં અન્ય વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક આમલાખાડીનો અંડરપાસ આવેલો છે. આ અંડરપાસમાંથી નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. આ અંડરપાસમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં બ્રિજના માળખાને નુકશાન થયું છે.કન્ટેનર લઇને પસાર થતું ટ્રેલર બ્રિજ સાથે અથડાતાંની સાથે કન્ટેનર ટ્રેલર પરથી નીચે પડી ગયું હતું અને ડ્રાયવર પણ આમલાખાડીમાં પડી જતાં સહેજમાં રહી ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.ઘટના બાદ અંડરપાસમાંથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નિલેશ ચોકડી પાસે આવેલાં ઓવરબ્રિજ સાથે વિશાળ મશીનરી ભરેલાં વાહનો ટકરાય ચુકયાં છે. આ ટકકર એટલી ભીષણ હતી કે બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ રાખી તેનું રીપેરીંગ કરવું પડયું હતું. આમલાખાડી અંડરપાસમાં ભારદારી વાહનો ન પ્રવેશી જાય તે માટે એન્ગલો લગાડવામાં આવી છે તેમ છતાં આવા બનાવો બની રહયાં છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રિઝમાં કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

Fri Jun 10 , 2022
ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ અલગ-અલગ પ્રકારના કેમિકલનુ ઉત્પાદન કરે છે. કંપનીમાં ફરજ બજાવતા એસોસિયેટ ફેમિલી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી કંપની મેનેજમેન્ટમાં નવા લદાયેલા નિયમનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કર્મચારીઓ કંપનીમાં ફરજ બજાવે છે તેમને અન્ય કંપનીમાં જવા માટે રાજીનામું […]

You May Like

Breaking News