પાટીલે કહ્યું, કોરોનામાં કોઇને ભૂખ્યાં સૂવા નથી દીધા, PM બટન દબાવે ને સહાય મળે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ હેઠળ 30 અને 31 મે એમ બે દિવસ સુધી રાજપીપળામાં રોકાયા હતા.એ દરમીયાન તેઓએ વકીલો વેપારીઓ, ડોક્ટરો, સાધુ-શંતો, સહકારી આગેવાનો, સાહિત્યકારો, રિટાયર્ડ કર્મચારીઓ અને સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કરી એમના પ્રશ્નોને સાંભળ્યા હતા.સી.આર.પાટીલે નર્મદા જિલ્લા ભાજપનાં કાર્યકરોને વ્યક્તિગત સાંભળી એમને પડતી મુશ્કેલીઓ જાણી હતી.સી.આર.પાટીલે રાજપીપળા ખાતે નર્મદા કમલમ કાર્યલયના નિર્માણ માટે ખાત મુહૂર્ત કર્યું.સી.આર.પાટીલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત છે, અમે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છે.રાજપીપળા ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજર સી આર પાટીલે જણાવ્યું હતું કે પી.એમ મોદીએ કોરોનામાં લોકોને મફત અનાજ આપ્યું કોઈ ભૂખ્યા સુવા દીધા નથી.મોદીજી એક બટન દબાવે છે અને ખેડૂતોને સહાય મળે છે.ખેડૂતોના કપાસની ચિંતા કરી તુવેર દાળ સહિત કઠોળ અનાજના ભાવો સારા મળ્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BAPS સ્વામિનારાયણ મંદિરના બાળકોની વિશાળ વ્યસનમુક્તિ રેલી

Wed Jun 1 , 2022
ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવારના બાળકો દ્વારા આજરોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વ્યસનમુક્તિ રેલીનું પ્રસ્થાન કરી ભરૂચ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાંથી ફરી ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી.જે રેલીમાં […]

You May Like

Breaking News