ભરૂચ જિલ્લાના 84 કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતાં કર્મીઓમાં રોષ, કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિલ્લાના આઉટ સૉસિંગના 84 કોરોના વોરિયર્સને છુટા કરી દેવાતા તેમણે કલેક્ટર કચેરીમાં અન્યાયી નીતિ સામે ભીખ માંગી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ જિલ્લામાં સિવિલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700થી વધુ આઉટ સોર્સિંગના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમણે એજન્સી સામે 6 વર્ષમાં તેમના દોઢ લાખના પગારની ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તમામ સ્તરેથી યોગ્ય દિશામાં તપાસ નહિ થતા ઉલ્ટા 84 કોરોના વોરિયર્સને રાતો રાત એજન્સીઓએ છુટા કરી દીધા હતા.પરિવારનું ગુજરાન ચલાવવા હવે તેઓ પાસે ભીખ માંગવાનો વારો આવ્યો હોવાની કેફિયત તેમણે વ્યક્ત કરી હતી. આજે મંગળવારે નોકરી પર પુનઃ પરત લેવા અને એજન્સીએ છ વર્ષમાં દોઢ લાખ પગારની કરેલી ઉચાપત પાછી અપાવવા આઉસ સોર્સના કર્મીઓએ કલેક્ટર કચેરી ખાતે સાંકેતિક ભીખ માંગી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવનિર્મિત એપીએમસી, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટિન નું લોકાર્પણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલના હસ્તે કરાયું

Sat Apr 16 , 2022
સી આર પાટીલ ના હસ્તે દૂધધારા ડેરી દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ખોરાકની કીટ અર્પણ કરાઇભરૂચના જંબુસર ખાતે એપીએમસી ના નવનિર્મિત બિલ્ડિંગ નું લોકાર્પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ વરદ હસ્તે કરવામાં આવ્યું. જંબુસર એપીએમસીમાં આ સાથે રેસ્ટ હાઉસ અને કેન્ટિન નું પણ લોકાર્પણ […]

You May Like

Breaking News