રેલવે વિભાગે નેત્રંગમાં 131થી વધુ દબાણો પર જેસીબી ફેરવ્યું, છત ગુમાવનારા રડી પડ્યાં, 30 વર્ષે બે ઘર

નેત્રંગ ગામમાં 30 વર્ષથી રેલવેની જગ્યામાં લોકો ઘર અને દુકાનો બનાવી રહેતા હતા. ઘણાખરા લોકોએ તો લાખો રૂપિયા ખર્ચી પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આ બાબતે વર્ષોથી દબાણકર્તાઓને નોટિસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. જેતે સમયે અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરી દબાણો તૂટતા બચાવ્યા હતા. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રેલવેના અધિકારીઓએ લોકોને નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી.આ આખરી નોટિસની અવગણના કરી લોકોએ ઘર અને દુકાન ખાલી નહિં કરતા આખરે બુધવારે 10 કલાકે રેલવેના અધિકારીઓ તેમના આરપીએફ અને નેત્રંગ પોલીસ ફોર્સ તેમાં 4 બુલડોઝર સાથે ઉતરી પડતા નેત્રંગના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 131 ઘરો અને દુકાનોમાં આજે દબાણ તોડી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. લોકોએ ઘર તૂટવાનાજ છે તેથી રાત્રે જ ઘરવખરી અને અન્ય સરસામાન ખાલી કરવામાં લાગી ગયા હતા. 131 ઘરો તોડતાં લોકોને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થવા પામ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નાંદોદમાં અકસ્માતના બે બનાવઃ 2ના મોત, બે વ્યક્તિને ગંભીર ઇજા

Thu Mar 31 , 2022
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 30 મી એપ્રિલે અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં 2 વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાજપીપળા પોલીસે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડા કે.જી.બી.વી શાળાના મુખ્ય શિક્ષિકા કમળાબેન કાશીરામ વસાવા […]

You May Like

Breaking News