ભરુચ: જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગે માહિતી જાહેર કરાઈ

– “અરજદારની ઉંમર ૫૦(પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ”

કલેક્ટર કચેરી ખાતે ૧૧(અગિયાર) માસની મુદ્દત પુરી થતાં કરાર આધારિત કાયદા અધિકારીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગેની અખબારી યાદી તા.૦૪/૦૧/૨૦૨૨ અને તા.૦૬/૦૧/૨૦૨૨ થી બહાર પાડવામાં આવેલ હતી. જેમાં મુદ્દા નં.૧ માં અરજદારની ઉંમર-૪૦(ચાલીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી તેવુ દર્શાવેલ હતું જેમાં સરકારના ઠરાવ મુજબ સુધારો કરી “અરજદારની ઉંમર-૪૦(ચાલીસ) વર્ષને બદલે ૫૦(પચાસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ” તે મુજવ વાંચવું. આ અંગેની અરજીઓ તા.૦૪/૦૧/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ અખબારીયાદી મુજબ લાયકી ધોરણો/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૩૧/૦૧/૨૦૨૨ સુધીમાં કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે રૂબરૂ/ટપાલ મારફત મળી જાય તે રીતે અરજી કરવાની મુદ્દત લંબાવવામાં આવે છે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ

Fri Jan 21 , 2022
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી […]

You May Like

Breaking News