ભરૂચ જિલ્લામાં 12.15 લાખ પૈકી 83% લોકોએ પ્રથમ, 3.58 લાખમાંથી 88% લોકોએ બીજો ડોઝ લીધો..

કોરોના મહામારીને મ્હાત આપવા વેક્સિનેશન મહત્વનું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 38.37 ટકા લોકોએ કોરોનાની વેેક્સિનનો પ્રથમ અને 88.06 ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. જિલ્લામાં થયેલી વેક્સિનેશનની કામગીરીને પગલે એક સમયે 23માં નંબરે રહેલો ભરૂચ જિલ્લો હાલમાં વેક્સિનેશન કરવામાં રાજ્યમાં 10 ક્રમે પહોંચ્યો છે.છેલ્લાં 29 દિવસથી ભરૂચ જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. જેના પગલે હાલમાં ભરૂચ જિલ્લો કોરોનામુક્ત જિલ્લો બન્યો છે. જોકે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની શક્યતાઓને લઇને વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગે આગોતરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવતાં અત્યાર સુધીમાં જિલ્લાના 12.15 લાખ લોકો પૈકી 10.13 લાખ લોકો એટલે કે 83.37 ટકા લોકોએ વેક્સિનેશનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે સેકન્ડ ડોઝમાં સમાવાયેલાં 3.58 લાખ લોકો પૈકીના 3.15 એટલે કે 88.06 ટકા લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. જિલ્લાની વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ મળતાં રાજ્યમાં ભરૂચ જિલ્લો વેક્સિનેશનમાં 10માં ક્રમાંકે પહોંચ્યો છે.વેક્સિનેેશનની પ્રક્રિયા સુમેળપણે પુર્ણ થઇ શકે તે માટે જિલ્લામાં 178 કેન્દ્રો ઉભા કરાયાં છે. જેમાં આરોગ્ય વિભાગના 1070 કર્મીઓની 258 ટીમો તબક્કાવાર રીતે વેક્સિનેશનની કામગીરી કરી રહી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બ્રીજ ભટ્ટને 5 વર્ષથી લાગ્યો ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવાનો રંગ, પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ...

Wed Sep 8 , 2021
ભરૂચ શહેર જિલ્લામાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા કારીગરો આગામી વિઘ્નહર્તા ગજાનન ગણેશજી પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયા છે. શહેરમાં રહેતા અનેક કારીગરો માટીમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં રહેતા 18 વર્ષીય બ્રિજ સંદીપભાઈ ભટ્ટ છેલ્લા 13 વર્ષથી […]

You May Like

Breaking News