મત લેવા સુરત, વલસાડ કે નવસારી જાવ, અમારા ગામમાં નહિ તેવા બેનર લાગ્યાં

અંકલેશ્વર ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યાં છે. એકસપ્રેસ હાઇવે, ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેકટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માગ સાથે 3 વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહયું છે. સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યાં ગયાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયાં છે. જુના દીવા, પુનગામ સહિતના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરીટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહયાં હોવાથી 3 વર્ષથી કોકડું ગુંચવાયેલું છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવેના ભરૂચ જિલ્લાના38 ગામ માંથી અંદાજે 3500થીવધુ ખેડૂત અસરગ્રસ્ત છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દહેજમાંથી વર્ષ પહેલાં 5 લાખની પાઇપ ચોરી કરનારી ટોળકી અંસાર માર્કેટમાંથી ઝડપાઇ

Mon Apr 8 , 2024
દહેજ ખાતે જૂદી જૂદી કંપનીઓમાંથી નિકળતાં વેસ્ટ પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી હતી.ત્યારે ગત વર્ષે એમ્બીઓ કંપની પાસે આવેલી પમ્પિંગ સ્ટેશન પાસે 5 લાખની મત્તાના 564 મીટર પાઇપ કોઇ ભંગાર ચોર ટોળકી ચોરી કરી ગઇ હતી. જેના પગલે ગત વર્ષે 28મી જાન્યુઆરીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાનમાં […]

You May Like

Breaking News