અંકલેશ્વરમાં ફરી જુનાકાંસિયા ગામે દીપડા એ ગાયના તબેલાં પર હૂમલો કરતાં એક ગાયનું મોત થયું છે જયારે બીજી એક ઘાયલ થઇ છે. ઘટના બાદ પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળીરહયો છે. આ વિસ્તારમાંછેલ્લા ઘણા સમયથીદિપડાઓની હાજરીથી લોકોમાં ભય ફેલાયેલો છે. થોડા સમયપહેલાં એક દિપડો પાંજરેપુરાતાં લોકોએ હાશકારો લીધોહતો પણ ફરી બનેલાં બનાવથીલોકોમાં ચિંતા પેસી છે.અંકલેશ્વર તાલુકાનાપૂર્વ પટ્ટીના ગામો માં દીપડાનોઆતંકયથાવતરહ્યો છે.તાજેતરમાં જ ખૂંખાર દીપડોઅમરતપુરા ગામથી પકડાયાબાદ ગ્રામજનોએ થોડોરાહતનો દમ લીધો હતો.લોકોને માંડ હાથ થઇ હતી ત્યાંગત રોજ જુના કાંસીયા ગામખાતે દીપડો પુનઃ માનવવસાહત નજીક આવી ઘરઆંગણે તબેલા માં બાંધેલ ગયોપર હુમલો કર્યો હતો. જે એકગાય માતાનું મોત નીપજ્યું હતું.તો એક ગાય ગંભીર રીતેઘાયલ થઇ હતી. આ ઘટનાનીજાણ વન વિભાગ ને કરવામાંઆવતા સ્ટાફ અને સ્થાનિકોસ્થળ પર દોડી આવ્યા હતાઅને નિરીક્ષણ કર્યું હતું. જેમાંદિપડાના પંજા ના નિશાનમળ્યા હતા હતાં. કાસીયાતેમજ જુના કાંસિયા ગામેદિપડાને ઝડપી પાડવા માટેપાંજરા મુક્યા હતા.ગામમાંઅગાઉ દિપડાએ શ્વાનનું મારણ કર્યું હતું. ગ્રામજનોસહિત ખેડૂતોને રાતના સમયેજ દીપડો શિકાર કરવાનીકળતો હોવાથી રાતે અનેવહેલી સવારે બહાર નહીંનીકળવા સાથે 5થી વધુલોકોએ સમૂહમાં જ બહારનીકળવા અપીલ કરી છે. નર્મદા કાંઠા વિસ્તારમાં ત્રણદીપડાઓની હાજરી નોંધાઇ છેઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં દીપડાઓની વસતીમાંઝડપથી વધારો થઇ રહયો છે અને હાલ શેરડી કપાઇ જવાથી ખેતરોનુંઆશ્રય સ્થાન છીનવાઇ જતાં દિપડાઓ માનવ વસાહતો તરફ આવીરહયાં છે. દીપડાઓએ અંકલેશ્વરના નર્મદા કિનારાના વિસ્તારને નવોવસવાટ બનાવી લીધો છે. આ વિસ્તારમાં 3 દીપડાઓની હાજરી વનવિભાગે નોંધી છે. નદી કિનારે ખોરાક અને પાણી સરળતાથી મળીરહેતાં હોવાથી દીપડાઓ હવે અહીં વધી રહયાં છે.
Next Post
નબીપુર ચોકડી ઉપર રિક્ષા ચાલક ને માર મારવાના કેસમાં અસામજીક તત્વોને કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી...
Fri Jan 26 , 2024
ગુનાહિત કાવતરું રચીને બંબુસરના રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડનાર આરોપીઓને ભરૂચ શહેર અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશબંધી ફરમાવતી ભરૂચ કોર્ટ તારીખ 10-10-2023 ના રોજ બંબુસર ગામના રિક્ષા ચાલક સઈદ સુલેમાન પટેલ ઉપર નબીપુર ચોકડી ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી સદર બનાવ […]
