નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાની મોતની છલાંગ:જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહેલી મહિલાને માછીમારો બચાવવા પહોંચ્યા પણ બચાવી ન શક્યા, મહિલાની શોધખોળ હાથ ધરાઈ

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવબી જાણ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે.ભરૂચના નર્મદા નદી ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ પરથી હમણાં સાંજના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ જોતા જ અહિંયાથી પસાર થતા લોકોએ દોડી આવ્યા હતા, પરંતુ નદીમાં પાણીનું વહેણ હોવાના કારણે તે તણાવા લાગી હતી. આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને થતાં તેઓ સ્થળ પર પહોંચી ગામના માછીમારોનો સંપર્ક કરી મહિલાને બચાવવા માટે કોલ કરીને જાણ કરી હતી. તેઓએ પણ દોડી આવી મહિલાને બચાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે માછીમારોએ ભારે મહેનત બાદ પણ તેને શોધી નહિં શક્યા હતા. આ મમાલે ધર્મેષ સોલંકીએ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચમાં ભરૂચી વ્હોરા ફેડરેશન, પીપી સવાણી યુનિવર્સિટી અને રોટલી ક્લબ નર્મદા નગરી દ્વારા ઉજવણી કરવામાં આવી

Sat Oct 7 , 2023
વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સેરેબ્રલ એટલે મગજના બંને ભાગો અને લકવો એટલે શારીરિક હિલચાલના નિયંત્રણને નુકસાન પહોંચાડતી કોઈપણ વિકૃતિ અથવા નુકસાન. વિલિયમ લિટલ, એક પ્રખ્યાત સર્જન, 1760 માં બાળકોમાં જોવા મળતી અસાધારણતાની સારવાર વિશે ચર્ચા કરી હતી જેમાં હાથ અને પગના સ્નાયુઓમાં […]

You May Like

Breaking News