અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગો વેન્ટિલેટર ઉપર, વધુ 300 કરોડનો પ્રોડક્શન લોસ..

અંકલેશ્વર – પાનોલી ઉદ્યોગો વેન્ટિલેટર મુકાઈ ગયા છે. સતત બીજા દિવસે 300 કરોડ નું પ્રોડક્શન લોસ થયું છે. 24 કલાક ચાલતા પ્લાન્ટ પર હવે શટડાઉન લેવા પડ્યા છે. નાના ઉદ્યોગો સાથે હવે મોટા ઉદ્યોગો પણ કરોડો રૂપિયાનું ઉત્પાદન ઠપ થયો છે. શનિવાર ની સાંજ સુધી પાઇપ લાઇન કાર્યરત થવાની ધારણા છે. પાઇપ લાઈન ત્રીજું કોટિંગ કરી બહાર કોટીંગ વર્ક ની કામગીરી હાલ ચાલી રહી છે. દેશના પ્રથમ એવા પ્રોજેક્ટ જે ઉદ્યોગો નું દુષિત પાણી પાઇપ લાઈન વડે દરિયામાં ઠાલવે છે તેવા એન.સી.ટી પાઇપલાઇન પ્રોજેક્ટ અંદાજે 140 કરોડના ખર્ચે નિર્માણ પામી કાર્યરત થયો છે.તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2007 માં કાર્યરત થયા બાદ દેશ નું રોલ મોડલ બનાવામાં આવ્યું હતું. જો કે આ પ્રોજેક્ટ પ્રતિ વર્ષ પાઇપ લાઈન 2 થી 3 વાર બ્રેકડાઉન થતા તેની સીધી અસર ઉદ્યોગો પર પડી રહી છે. સોમવાર ની રાત્રી ના એનસીટી લાઈન માં સજોદ પાસે પડેલા ભંગાણ આજે પાંચમો દિવસ થઇ જવા આવ્યો છે. છતાં લાઈન ચાલુ થઈ શકી નથી. પાઇપ લાઇન માં ચાલી રહેલ સમારકામ અંતિમ ચરણ મા જ છે.પાઇપ લાઇન ની અંદર ડબલ કોટીંગ લેમિનેશન વર્ક બાદ હવે બહાર ત્રીજું કોટીંગ સાથે ફાઇનલ પાઇપ લાઈન જોડાણ કરવામાં આવી રહ્યું છે જે બાદ 12 કલાક સુધી લાઈન ને મોકલવામાં આવ્યા બાદ શનિવારે બપોર સુધી લાઈન કાર્યરત થવાની સંભાવના છે. આ વચ્ચે અંકલેશ્વર -પાનોલી ના નાના અને મધ્યમ કદના 1500 થી વધુ ઉદ્યોગો 2 દિવસ થી બંધ થઇ ગયા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંસાર માર્કેટ પાસે આગળ ચાલતી ટ્રકમાં લક્ઝરી ભટકાતાં 3ને ઈજા..

Sat Aug 14 , 2021
અંકલેશ્વર નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઇજા હતી. બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.અંકલેશ્વર […]

You May Like

Breaking News