વાલિયાના પીઠોર ગામમાં ખેતરમાં કામ કરી રહેલા મહિલા પર જીવંત વીજ વાયર પડ્યો, વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત

વાલિયા તાલુકાના પીઠોર ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા તેણીનું કરંટ લાગતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.વાલિયા તાલુકાના પીઠોર ગામના ટેકરી ફળિયામાં રહેતા 50 વર્ષીય કમળાબેન વિનુભાઈ વસાવા ગતરોજ સવારમાં ગામની સીમમાં આવેલ જશવંતભાઈ વાલજી પાંડવના ખેતરે મજુરી કામ માટે ગયા હતા તે દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા તે વેળા ત્યાંથી પસાર થતી એલટી વીજ લાઈનનો જીવંત વીજ વાયર તૂટી પડતા કમળાબેન વસાવાને જોરદાર વીજ કરંટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર વીજ કચેરી ખાતે જાણ કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ સમારકામ કરવાની તસ્દી નહિ લેતા મહિલા જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાડાત્રણ કિમી લાંબા બ્રિજનાં આકાશી દૃશ્યો:ભરૂચની નર્મદા નદી પર 233 કરોડના ખર્ચે બ્રિજ બનીને તૈયાર, વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવા માટે 20 કિમીનું અંતર ઘટશે

Thu Jul 6 , 2023
વડોદરાના માલસર અને ભરૂચના ઝઘડિયાના અશા ગામ વચ્ચે નર્મદા નદી ઉપર રૂપિયા 233 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3.5 કિલોમીટર લાંબા બ્રિજનાં આકાશી દૃશ્યો સામે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજના લોકાર્પણ માટે તંત્રએ PMOમાં તારીખ માગી છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામની વચ્ચે નર્મદા નદી પર […]

You May Like

Breaking News