ભરૂચમાં અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Views: 125
0 0

Read Time:1 Minute, 48 Second

દેશની સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અમલમાં મુકેલી અગ્નિપથ યોજનાનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. મંગળવારે ભરૂચમાં રેલ્વે સ્ટેશન પાસે યુવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. દેખાવો દરમિયાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દેખાવો કરી રહેલાં કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી દીધાં હતાં.દેશમાં વધી રહેલી મોંઘવારી તથા સેનામાં ભરતી માટે અમલમાં મુકવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયાં છે. દેશના દરેક યુવાનનું સ્વપ્ન હોય સેનામાં ભરતી થઇ દેશસેવાનું હોય છે પણ કેન્દ્ર સરકાર તાજેતરમાં અગ્નિપથ યોજના લાવી છે. જેમાં યુવાનો માત્ર ચાર વર્ષ સુધી જ સેનામાં નોકરી કરી શકશે.આ યોજના યુવાઓ વિરોધી હોવાનું જણાવી કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ભરૂચમાં કોંગ્રેસના યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ મંગળવારે રેલ્વે સ્ટેશન પાસે દેખાવો કર્યા હતાં. પોલીસે કાર્યકરોને વિખેરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોને ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી દીધાં હતાં. કોંગી કાર્યકરોએ ભારે નારેબાજી કરી પોલીસની કાર્યવાહીને વખોડી નાંખી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત ભરૂચની એન્જીનીયરીંગ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

Wed Jun 29 , 2022
Spread the love             ભરૂચ જીલ્લામાં ૭ મંડળોમાં રક્તદાન કેમ્પ યોજાયા બાદ ૮ મો રક્તદાન કેમ્પ ભરૂચ તાલુકા દ્વારા યોજાયો. ભરૂચની એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો.પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય […]

You May Like

Breaking News

error: Content is protected !!