સરકારનો નિર્ણય, જો ખેડૂતોને થયું હશે નુકશાન તો ચુકવાશે વળતર

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવામાં આવશે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે.તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે. આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો સરકારને મળી છે,

સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. નુકસાનીના અંદાજો પ્રાથમિક સર્વેના અંદાજો આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે, તે અહેવાલો મુજબ નુકસાનીનું વળતર આપવામાં આવશે. ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચુકવવામાં આવશે તેમ રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

Thu Jul 16 , 2020
ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ.જે.એન.ઝાલાનાં આદેશ મુજબ કામગીરી કરી હતી ત્યારે મળતી બાતમીનાં આધારે ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા, વાય.જી.ગઢવી તથા તેમનં માણસોએ કામગીરી કરી હતી. જેમાં મળતી બાતમીનાં આધારે પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. […]

You May Like

Breaking News