કોરોનાની ત્રીજી લહેરમાં ભરૂચમાં વધુ એકનું મોત, નવા 12 પોઝિટિવ..

કોરોનાની ત્રીજી લહેરમાં ભરૂચમાં વધુ એકનું મોત, નવા 12 પોઝિટિવ

કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિ ઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. કોરોનાથી ભરૂચમાં વધુ એક 58 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મોત નીપજ્યું હતું. લીકં રોડ પર આવેલી જય નારાયણ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય વ્યક્તિને ગત 4 ફેબ્રુઆરી ના રોજ કોરોના સંક્રમિત થતા તેમને ભરૂચ ની એપેક્ષ હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 10 દિવસની સારવાર બાદ 11 માં દિવસે ગત રોજ મોડી સાંજે મોત નીપજ્યું હતું. જેમની અંતિમ વિધિ કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યના સૌ પ્રથમ કોરોના સ્મશાન ગૃહ ખાતે સ્વજનો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જે વચ્ચે 50 પલ્સ ઉંમર ધરાવતા લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં વેક્સીન બે ડોઝ અથવા ત્રણ ડોઝ લીધા હોવા છતાં તેવોના મોત નીપજી રહ્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન થતાં ભુસ્તર વિભાગની GPS માપણી

Thu Feb 17 , 2022
ભરૂચના કુકરવાડા-વેજલપુરના નર્મદા નદી કિનારેથી ગત રવિવારે રાત્રીના સમયે સ્થાનિકોએ રેતી ભરેલી 15 ટ્રકો અને બે હિટાચી મશીન ઝડપી પાડ્યાં હતાં. માછીમાર સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાડભૂત ખાતે નિર્માણ પામી રહેલાં બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે રેતી ઉલેચવાની અને અન્ય સ્થળે વહન કરી જવામાં આવી રહી છે. જેના […]

You May Like

Breaking News