વાવાઝોડાથી 36 વીજથાંભલા, 5 વૃક્ષો ધરાશાયી

વાવાઝોડાથી 36 વીજથાંભલા, 5 વૃક્ષો ધરાશાયી

બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી વહીવટીતંત્ર દોડધામ કરી રહયું હતું. દરિયા કિનારે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું હતું. ગુરૂવારે સાંજે વાવાઝોડું કચ્છની ધરતીની નજીક પહોંચતાની સાથે ભરૂચના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો અને 2 મીટર સુધીના મોજા ઉછળ્યાં હતાં.
વાવાઝોડાના લેન્ડફોલ બાદ ભરૂચ જિલ્લામાં પવનની ગતિમાં વધારો થયો હતો. શુક્રવારની સવારે ભરૂચ શહેરમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભારે પવનોના કારણે પોલીસ, પાલિકા, ફાયર, વીજ, એસટી વિભાગ સહિતના વિભાગોને પણ એલર્ટ કરી દેવાયાં હતાં. જિલ્લામાં તેજ ગતિના પવનોએ કુલ 36 વીજથાંભલા છેલ્લાં બે દિવસમાં જમીનદોસ્ત થયાં હતાં. જોકે, વીજકર્મીઓએ તુરંત આવી પોલ ઉભા કરી વીજપુરવઠો પુન: કાર્યન્વિત કર્યો હતો.
જિલ્લામાં વાવાઝોડાના કારણે વાદળો ખેંચાઇ આવતાં જંબુસરમાં 7 મીમી, વાગરામાં 4 મીમી તેમજ આમોદમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય પંથકમાં પણ માત્ર થોડો ઝરમર વરસાદ વરસી ગયો હતો.બીજી તરફ ભરૂચ શહેરમાં અલગ અલગ ચાર સ્થળે વૃક્ષ ધરાશાયી થયાં હતાં.પાલિકાની ટીમે તુરંત વૃક્ષો હટાવી લીધાં હતાં.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સરકારી બસો માટે અકસ્માતોનું નવું સરનામું બનતો ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ, મધરાતે બે ST બસોને અકસ્માત નડ્યો, ઇકોને પણ નુકશાન

Sat Jun 17 , 2023
ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે રાજ્યની સરકારી બસો માટે એક્સિડન્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર 8 સરકારી બસોના અકસ્માત સર્જાયા છે. ગુરૂવારે મોડી રાતે વધુ બે બસો અકસ્માતગ્રસ્ત બની હતી.નર્મદા મૈયા બ્રિજ ઉપર હાલમાં જ સરકારી એસ.ટી. બસોને અવરજવર માટે પરવાનગી અપાઈ હતી. જોકે જ્યારથી […]

You May Like

Breaking News