ઝઘડિયા હરિપુરા પાટિયા પાસે સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 ભૂલકાંઓને ઇજા, ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર

ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી – ઉમલ્લા વચ્ચે આવેલા હરિપુરા ગામના પાટીયા નજીક એક ટ્રક અને શાળાના વિધાર્થીઓને પરત ઘરે લઇને જતી સ્કુલ વાન વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો.અચાનક અકસ્માત સર્જાતા છાત્રોની ચીસાચીસથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્કુલ વાનમાં બેઠેલા ચાર ભૂલકાઓને ઇજા પોહચી હતી. જેઓને સારવાર માટે ઉમલ્લા સારવાર કેન્દ્રમાં લઇ જવાયા હતા. ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઐતિહાસિક રેલવે સ્ટેશનને નવા રંગરૂપ અપાશે:ભરૂચ રેલવે સ્ટેશનના ₹34 કરોડના ખર્ચે નવીનીકરણમાં હવે એક નહિ પણ 3 ટાવરો, 6 ઓગસ્ટે પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરાશે

Sat Aug 5 , 2023
ઐતિહાસિક ભરૂચનું 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન હવે ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઇ રહ્યું છે.આગામી 6 ઓગસ્ટે અમૃત સ્ટેશન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી-ડેવલોપમેન્ટ થનારા દેશના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કરવાના છે.ભરૂચનું 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન પણ 34 કરોડના ખર્ચે આધુનિક અને વધુ સુવિધાસભર બનનાર છે. આજે […]

You May Like

Breaking News