રેલવે અને જુના નેશનલ હાઈવે 8 વચ્ચે મગર નજરે પડતા વાહનચાલકોના ટોળા જામ્યા, પોલીસે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો

અંકલેશ્વર-ભરૂચ રોડ પર રેલવે અને જુના ને.હા. 8 પર રોડની બીજી તરફ મગર દેખા દેતા લોક ટોળા જામ્યા હતા. મગરને જોવા લોકો વાહનો ઉભા કરી દેતા ટ્રાફિક જામ થયો હતો. બી-ડિવિઝન પોલીસના સ્ટાફે દરમિયાનગીરી કરી વાહન ચાલકો હટાવ્યા હતા. મહાકાય મગર કિનાર પર શિકારની ટાંકમાં આરામ ફરમાવતા જોવા લોકોના ટોળે વળ્યા હતા. અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ભૂતમામાં ડેરી સામે ગંદા પાણીના તળાવ નજીક કિનારે મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને પકડવા માટે વન વિભાગ મથામણ કરી રહ્યું છે. ત્યાં હવે રોડની બીજી તરફ રેલવે લાઈન અને રોડ વચ્ચે એકત્ર થયેલા વરસાદના પાણી પાસે સામ્રાજ્ય સોસાયટીથી થોડે આગળ પાલ્મ શોપિંગ સેન્ટર સામે ભરાયેલા પાણીમાં મગર કિનારે બેઠેલો નજરે પડ્યો હતો. આ મગર ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની નજરે પડતા વાહન થોભાવી મગરને જોવા એકત્ર થયા હતા. વાહન ચાલકો મગરના ફોટો અને વીડિયો લેવામાં મશગુલ બન્યા હતા. મગર દર્શનની ધેલછામાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જેને લઇ શહેર બી-ડિવિઝન પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે વાહન ચાલકોને હટાવી માર્ગ હળવો કર્યો હતો. ઘટના અંગે વન વિભાગ અને જીવદયા પ્રેમીને થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ મગરને પકડવામાં માટે મારણ સાથે પાંજરા મુકવા માટેની કવાયત શરુ કરી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને હત્યાના ગુનાનો મુખ્ય આરોપીને પાંચ વર્ષે ભરૂચ LCBએ ઝડપી પાડ્યો

Tue Jul 25 , 2023
અંકલેશ્વરના તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2019માં ઉટીયાદરા ગામની સીમમાં આવેલા પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલી ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા માસ્ટર માઈન્ડ આરોપીને ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.અંકલેશ્વરના ઉંટીયાદરા પાસે આવેલી પી.જી.ગ્લાસ કંપનીમાં 18 સપ્ટેમ્બર 2019ના બપોરના સમયે […]

You May Like

Breaking News