ભરૂચ જિલ્લામાં આજથી 12થી 14 વર્ષના કિશોરોને કોરોના વેક્સિનેશન શરૂ, 58 હજાર તરૂણોને આવરી લેવાશે

ભરૂચ જિલ્લામાં આજે બુધવારથી 12થી 14 વર્ષના કિશોરોને કોવિડ-19 સામે સુરક્ષાકવચ રૂપે વેક્સિનેશનનો આરંભ થયો હતો. આજે પહેલા દિવસે જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વેક્સિન મુકાવવા કિશોરોએ ઉત્સાહ દાખવ્યો હતો.ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ ઉપરાંત 12થી 14 વર્ષ સુધી એટલે 2008થી 2010 સુધી જન્મેલા શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. અંદાજીત 58 હજાર બાળકોનું રસીકરણ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન હાથ ધરાયું છે. સાથે જ બીજો ડોઝ લીધાને 9 માસ પુરા કરેલા હોય તેવા 60થી વધુ ઉંમરના નાગરિકો માટે પ્રિકોશન ડોઝનું આયોજન કરાયું છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજમાં પાણીની પરબ અને કુલર ધૂળ ખાતાં નજરે પડ્યાં, NSUIએ કોલેજના તંત્રને રજૂઆત કરી

Wed Mar 16 , 2022
સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ ભરૂચની કે.જે પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલ ઠંડા પાણીની પરબો અને કુલરો બંધ અવસ્થામાં છે, જે જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે. ત્યારે આટલા આકરા તાપમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં પાણી વગર વલખાં મારવાં પડી રહ્યાં છે અને ના છૂટકે વેચાતું પાણી લાવી […]

You May Like

Breaking News