વડોદરા દશરથ આઈ. ટી. આઈ. ના સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો નેશનલ ટીચર્સ એવોર્ડ…

વડોદરાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ….


તાલીમાર્થીઓની શ્રેષ્ઠ અને સોનેરી કારકિર્દી માટે છેલ્લા ૧૨ વર્ષથી સમર્પિત છે શ્રીમતી દર્શનાબેન કડિયા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના ૧૬ શિક્ષકો પૈકી ગુજરાતના એકમાત્ર શિક્ષકને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
વડોદરા, તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ શુક્રવાર એટલે કે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાંથી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હસ્તકના સ્કીલ ઈન્ડિયા અને ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા કુલ ૧૬ શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અને આ ૧૬ શિક્ષકોમાં સમાવેશ થાય છે ગુજરાતના એક માત્ર શ્રેષ્ઠ શિક્ષક શ્રીમતી દર્શનાબેન કડિયાનો, ગુજરાત માટે તો અત્યંત ગૌરવની વાત છે, પરંતુ વડોદરાવાસીઓની છાતી ગજ ગજ એટલા માટે ફૂલી રહી છે, કારણ કે આ શ્રેષ્ઠ શિક્ષક દશરથ આઈ. ટી. આઈ. ના ઈલેક્ટ્રીશીયન ટ્રેડના સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર છે. સમગ્ર ગુજરાતની આઈ. ટી. આઈ. માંથી માત્ર વડોદરાની દશરથ આઈ. ટી. આઈ.ના શિક્ષકને આ સન્માન મળે, તો બીજું શું ઘરે ! શ્રેષ્ઠ શિક્ષક શ્રીમતી દર્શનાબેન કડિયા વિશે જાણતા પહેલા તેનો પરિચય આપીએ તો, તાલીમાર્થીઓની શ્રેષ્ઠ અને સોનેરી કારકિર્દીના ઘડતર માટે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી સમર્પિત છે. ઈલેક્ટ્રીશીયન દર્શનાબેન ઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં તાલીમાર્થીઓને તકનીકી અને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપે છે. ઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં નવપ્રયોગને પ્રાધાન્ય આપી આ ટ્રેડને તાલીમાર્થીઓ માટે વધુ રૂચિકર અને સરળ બનાવ્યો છે. ઓન ધ જોબ ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ, પ્રોજેક્ટ વર્ક અને ઈ- કન્ટેન્ટ વર્કને જોડીને તેઓ તાલીમાર્થીઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ આપી રહ્યા છે.આ શ્રેષ્ઠ શિક્ષકના વિદ્યાર્થીઓ આજે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી રહ્યા છે. અત્યાર સુધી ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં તાલીમ લઈ ચૂક્યા છે, જેમાંથી ૨૫ જેટલા વિદ્યાર્થીઓ હાલ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ સરકારી વીજ કંપનીઓ તથા રેલવેમાં પણ ફરજ બજાવી રહ્યા છે.નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીના હરસ્તે દર્શનાબેન કડિયાને નેશનલ ટીચર્સ એવોર્ડની સાથે સિલ્વર મેડલ, સર્ટિફિકેટ અને રૂ.૫૦ હજારની ધનરાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શિક્ષકોને પ્રસંશનીય કામગીરી કરવા બદલ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ તેમને રૂબરૂ મળીને પ્રોત્સાહિત કર્યા હતા….

તસ્લીમ પીરાંવાલા… કરજણ…

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

Mon Sep 9 , 2024
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો. અંડર-14 બોયઝ, અંડર-17 બોયઝ અને અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરે છે. […]

You May Like

Breaking News