અંકલેશ્વર જીઆઇડીસી અને અંકલેશ્વર વસાહત મંડળ દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અંતર્ગત સ્વદેશી સેમિનારનું આયોજન કરાયું

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને અંકલેશ્વર ઔધોગિક વસાહત મંડળના દ્વારા જીઆઇડીસી અંકલેશ્વર ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અંતર્ગત સ્વદેશી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠના પ્રોફેસર અને વિધ્યાર્થીઑ દ્વારા સ્વદેશી અંગેના વિચારો અને પ્રેઝેંટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં સ્વાવલંબન, સ્વદેશી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી વસ્તુનો વપરાશ કરવા અંગે જરૂરી સૂચનો આપી સ્વદેશી અપનાવવા માટે, અને એકતા શપથની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સેમિનારમાં જીઆઇડીસી વહીવટી સંકુલના સ્ટાફ, જીઆઇડીસી નોટિફાઈડ વિસ્તારની કચેરીના સ્ટાફ તેમજ અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના ઉદ્યોગોના હોદ્દેદારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પતિ મેળવવાની અંધશ્રદ્ધામાં ફસાઈ હિંદુ મહિલા, અંકલેશ્વરમાં મૌલવી દ્વારા બની દુષ્કર્મનો ભોગ.

Fri Nov 14 , 2025
હિન્દુ મહિલા પતિને પામવા અંધશ્રદ્ધામાં અંકલેશ્વરના કરમાલીના મદ્રેસાના મોલવી પાસે પહોંચી અને બની ગઈ દુષ્કર્મનો ભોગ.. અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડી ને […]

You May Like