

મિલ્ક સિટી આણંદ ખાતે ગઈકાલે ચરોતર વોહરા સમાજની(68 સમાજ) મહિલાઓ નું સશકિતકરણ સેમિનાર નું એક સંમેલન ગઈકાલે યોજાયુ હતું.ખૂબ મોટી સંખ્યામાં સમાજમાં થી મહિલાઓ એ હાજરી આપી.પોતાના સામાજિક આર્થિક પ્રશ્નો રજૂ કર્યા, શરિયત ની પાબંદી સાથે પણ બિઝનેસ, ગૃહ ઉદ્યોગ કરી કઈ રીતે કુટુંબ ને આગળ લાવી શકાય તેની ચર્ચા વિચારણા કરી, એકબીજા સાથે ચર્ચા સલાહ મશવરો કરી બાદમાં સમાજના લગ્ન વય ધરાવતા પાત્રો માટે લગ્ન/ રિશ્તા ના ડેટા ની પણ આપલે કરવામાં આવી અને સમાજ ની અગ્રણી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યુ હતુ સાથે આવેલ બાળકો માટે સંગીત ખુરસી અને અન્ય રમતો રમી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રોગ્રામ સમાપ્ત થયો હતો,આ પ્રસંગે ડૉ મ્હેરુંનિશાં દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(રિપોર્ટર અનવર બહાદરપુરવાલા આણંદ )

